Displaying 1-8 of 8 result(s).
Introduction
-
- જાહેરાત ક્રમાંક – ૫૧/૨૦૧૪-૨૦૧૫ ગુજરાત સરકારના સચિવાલયનાં વિભાગો, ગુજરાત વિધાનસભા સચિવાલય,ગુજરાત જાહેર સેવા આયોગ,અને મહેસુલ વિભાગ હસ્તકની વર્ગ-૩ ની જગ્યાઓ માટે આ પરિક્ષા લેવામાં આવે છે.
- Screening Test (પ્રાથમિક કસોટી) માં ઉમેદવારને O.M.R, Sheetમાં જવાબ આપવા માટે A,B,C,D અને E એમ પાંચ વિકલ્પ આપવામાં આવશે. પાંચમો વિકલ્પ આપવામાં આવશે. પાંચમો વિકલ્પ E 'Not attended' તરીકેનો રહેશે. ૩. (૧) ઉમેદવાર જે પ્રશ્નના જવાબ માટે જો પાંચમો વિકલ્પ E 'Not attended' એનકોડ કરેલ હશે તો તે પ્રશ્નના "શૂન્ય" ગુણ ગણાશે અને તે પ્રશ્ન માટે કોઈ નેગેટીવ ગુણ કાપવામાં આવશે નહીં. ૩(૨) તમામ વિકલ્પો (A,B,C,D, અને E) ખાલી રાખ્યા હોય અથવા પ્રશ્નનો ખોટો જવાબ આપ્યો હોય તો તે પ્રશ્ન માટે નિશ્ચિત ગુણ એક હોય તો ૦.૩ ગુણ કુલ મેળવેલ ગુણમાંથી બાદ કરવામાં આવશે.
- Screening Test (પ્રાથમિક કસોટી) માં મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. આખરી પરિણામ માત્ર મુખ્ય લેખિત પરીક્ષાના આધારે નિયત કરવામાં આવશે. ઉમેદવાર નાયબ સેક્શન અધિકારી કે નાયબ મામલતદાર કે આ બંને જગ્યા માટે ઉમેદવારી કરવા ઈચ્છતા હોય તો પણ તેમણે એક જ અરજી કરવાની રહેશે અને એક જ વખત પરીક્ષા ફી ચુકવવાની રહેશે.
- પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. સિવાય કે, મુખ્ય લેખિત પરીક્ષાના પેપર નં.૨ (અંગ્રેજી)નું માધ્યમ બધાં ઉમેદવારો માટે અંગ્રેજી રહેશે.
- પરીક્ષા કેન્દ્રોની વિગત :Screening Test(પ્રાથમિક કસોટી) નું સ્થળ અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર, ભુજ, ભરૂચ, દાહોદ, ગોધરા, ગાંધીનગર, હિમતનગર, જુનાગઢ, જામનગર, મહેસાણા, નડિયાદ, નવસારી, પાટણ, પાલનપુર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડ, તથા વ્યારા રહેશે. તથા લેખિત મુખ્ય પરીક્ષા માટેનું સ્થળ ફક્ત અમદાવાદ જ રહેશે. ઉમેદવારોની સંખ્યા, પરીક્ષા કેન્દ્રની ઉપલબ્ધિ, આયોગની વહીવટી અનુકુળતા વગેરે પરિબળો ધ્યાનમાં લઇ આયોગ આ કેન્દ્રોમાં વધારો/ઘટાડો કરી શકશે.
- પરીક્ષામાં પ્રવેશ : (1)જરૂરી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કાર્ય સિવાય Screening Test (પ્રાથમિક કસોટી) માં બેસવા દેવામાં આવશે. (૨)જે ઉમેદવારોને Screening Test (પ્રાથમિક કસોટી) ના પરિણામમાં મુખ્ય લેખિત પરીક્ષા માટે કામચલાઉ સફળ જાહેર હશે તેઓને આયોગ દ્વારા લેખિત પરીક્ષા માટે અલગથી બીજીઓ અરજીપત્રક મોકલવામાં આવશે. જે જરૂરી ફી અને પ્રમાણપત્રો સાથે ઉમેદવારે આયોગની કચેરીમાં મોકલી આપવાનું રહેશે. (૩) ઉમેદવારો તરફથી મળેલ અરજીપત્રકોની ભરતી નિયમો અને જાહેરાતની જોગવાઈ મુજબ ચકાસણી કરવામાં આવશે અને આ જોગવાઈ સંતોષતા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. (૪) મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ અંગે આયોગનો નિર્ણય આખરી ગણાશે અને આયોગના નિર્ણય સામે કોઈપણ પત્ર વ્યવહાર ધ્યાનમાં લેવામાં આવશે નહિ.
- જગ્યા/સેવાની પસંદગીનો ક્રમ : (૧)મુખ્ય લેખિત પરીક્ષામાં ફોર્મમાં ઉમેદવારે ફક્ત જાહેરાતમાં દર્શાવેલ જગ્યા/સેવા માટે પોતાની પસંદગી અનુસાર પસંદગી ક્રમ દર્શાવવાનો રહેશે. (૨) ઉમેદવાર જે જગ્યા /સેવા માટે પોતાની પસંદગીનો ક્રમ એકવાર દર્શાવી દે, ક્રમ કાયમી ગણવામાં આવશે તથા તેમાં કોઈપણ પ્રકારના ફેરફાર, સુધારા-વધારા અથવા ક્રમાંક બદલવાની વિનંતી કોઇપણ સંજોગોમાં માન્ય રાખવામાં આવશે નહીં. (૩)ઉમેદવારોએ જણાવેલી જગ્યાઓ માટેના પ્રેફરન્સ તે જગ્યાઓ ઉપર નિમણુંક નો કોઈ હક્ક મળતો નથી. (૪) ગુણવત્તાક્રમ અને પ્રાપ્ય જગ્યાઓની સંખ્યાને ધ્યાનમાં લઈને, ઉમેદવાર આપેલ પ્રેફરન્સ વિચારણામાં લેવામાં આવશે. (૫)જે ઉમેદવારે એક પણ જગ્યા/સેવા માટે પસંદગીક્રમ દર્શાવ્યો ન હોય અથવા તો ફક્ત અમુક જ જગ્યા/સેવા માટે પસંદગી ક્રમ દર્શાવેલ હોય અને તેઓની પસંદગી ક્રમ મુજબની જગ્યા મળવાપાત્ર થતી ન હોય તો જે ઉમેદવારોએ તમામ જગ્યા/સેવા માટે પસંદગી ક્રમ દર્શાવેલ હોય તેવા ઉમેદવારોને જગ્યાની ફાળવણી કર્યા બાદ વધેલી જગ્યા ઉપર આવા ઉમેદવારોને જગ્યાની ફાળવણી કરવામાં આવશે. (૬) ઉમેદવારોની નિમણુંક જે તે જગ્યાના અમલમાં હોય તેવા ભરતી નિયમોને આંધીન રહેશે. (૭) ઉમેદવારને જે જગ્યા માટે નિમણુક આપવામાં આવશે તે જગ્યા પર નિયમ સમયમાં હાજર ન થાય તો તેઓની નિમણુંક રદ કરવામાં આવશે.
Syllebus
-
- સામાન્ય વિજ્ઞાન
- ભારતનું બંધારણ
- તાજેતરના મહત્વના રાષ્ટ્રીય બનાવો/મુદ્દાઓ
- ગુજરાતની ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપત્તિ
- ગુજરાતની ખેતી અને ઉદ્યોગો,ગુજરાતનો સાંસ્કૃતિક વરસો – સાહિત્ય,કલા,ધર્મ
- સામાન્ય બૌદ્ધિક કસોટી
- ખેલ જગત
- ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા
- પંચાયતી રાજ
- મહાગુજરાત અંદોલન ગુજરાત રાજ્યની સ્થાપના અને ત્યાર બાદ ની મહત્વની ઘટનાઓ
- વિવિધ ક્ષેત્રે દેશમાં મહિલાઓનો ફાળો
- મહત્વના આંતરરાષ્ટ્રીય બનાવો/મુદ્દાઓ
What's Included
-
- Test (Check your self)
- Videos (Expert View)
- Reading (Interactive Reading)
- Wizard Learning (Learn day by day)
Qualification
-
૧. નાયબ સેક્શન અધિકારી સંવર્ગમાં (૧) અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિની ખામીવાળા ૪૦% કે તેથી વધુ અને ૧૦૦% સુધીની ખામી ધરવતા વિકલાંગો ઉમેદવારો માટે ૦૫ (૨) શ્રવણની ખામીવાળા ૪૦% કે તેથી વધુ અને ૧૦૦% સુધીની ખામી ધરવતા વિકલાંગ ઉમેદવારો માટે ૦૫ તથા (3) હલનચલન વિકલાંગતા અથવા મગજના લકવાની ખામીવાળા વિકલાંગ ઉમેદવારો માટે કુલ ૦૫ જગ્યા અનામત છે. નાયબ સેક્શન અધિકાર સંવર્ગ અંતગર્ત શારીરિક રીતે વિકલાંગ ઉમેદવાર માટેની અનામત જગ્યા પૈકી
(૧) અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિની ખામીવાળા ૪૦% કે તેથી વધુ અને ૧૦૦% સુધીની ખામી ધરવતા હશે તેવા વિકલાંગો ઉમેદવારો તથા (૨) શ્રવણની ખામીવાળા ૪૦% કે તેથી વધુ અને ૧૦૦% સુધીની ખામી ધરવતા હશે તેવા વિકલાંગ ઉમેદવારોને જ અનામતનો લાભ મળવાપાત્ર થશે. તથા હલનચલનની વિકલાંગતા અંતર્ગત OA (One arm), OL (One leg), OAL (One arm and one leg), BL (Both lengs), BLOA (Both legs one arm) કેટેગરીનાં અશક્ત (Disabled) ઉમેદવારો વિચારણામાં લેવામાં આવશે.
૨. નાયબ મામલતદાર સંવર્ગમાં (૧) અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિની ખામીવાળા મોડરેટ કક્ષામાં એટલે કે ૪૦% ટકા કે તેથી વધુ અને ૭૫% ટકાથી ઓછી વિકલાંગતા ધરવતા વિકલાંગ ઉમેદવારો માટે ૦૪ (૨) શ્રવણની ખામીવાળા મોડરેટ કક્ષામાં એટલે કે ૪૦% કે તેથી વધુ અને ૭૫%થી અરજી કરશે તો આવા ઉમેદવારોને વય મર્યાદામાં છુટછાટ મળશે નહીં. (૩) બિન અનામત તથા અનામત વર્ગોના મહિલા ઉમેદવારોને બધી જ મળવાપાત્ર છુટછાટ ગણતરીમાં લીધા બાદ, વધુમાં વધુ ૪૫ વર્ષની ઉંમર સુધી જ ઉપલી વયમર્યાદા છુટછાટ મળશે.
૩. લાયકાત : (૧) ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થપિત કોઈ પણ યુનિ. કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એક્ટ- ૧૯૫૬ના સેક્શન- ૩ હેઠળ યુનિ. તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની સ્નાતકની પદવી કે તેને સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરવતા હોવો જોઈએ અને (૨) ગુ.મું.સે. વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો- ૧૯૬૭ ના નિયમ-૮(૧એ)ની જોગવાઈ મુજબ કોમ્પ્યુટર એપ્લીકેશનનું મૂળભૂત જ્ઞાન ધરવતા હોવો જોઈએ. ઉપરની જાહેરાત સંબંધમાં પસંદ થયેલા ઉમેદવારોને આખરી નિમણુક પત્ર મેળવતા પહેલાં કોમ્પ્યુટર એપ્લીકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.. સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૩-૦૮-૨૦૦૮ ના ઠરાવ ક્ર.: સીઆરઆર-૧૦-૨૦૦૭-૧૨૦૩૨૦-ગ.પ. સાથેના પત્રક- ૧ માં દર્શાવેલ અભ્યાસક્રમને કોમ્પ્યુટરના બેઝિક નોલેજ તરીકે જાહેર કરેલ છે. આ અભ્યાસક્રમ મુજબનું કમ્પ્યુટર વિષયની જાણકારી અંગેનું માન્ય સસ્થાનું પ્રમાણપત્ર માન્ય રહેશે. વધુમાં માન્ય યુનિ. અથવા સરકાર માન્ય સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડીપ્લોમાં, ડીગ્રી, કે સર્ટીફીકેટ કોર્સ કરેલ હોય તો તેવા પ્રમાણપત્ર અથવા ડીપ્લોમાં કે ડીગ્રી અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવાં પ્રમાણપત્રો અથવા ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પસાર કરેલ હોય તેવાં પ્રમાણપત્રો માન્ય રહેશે. આ પ્રકારની લાયકાત ન ધરવતાં ઉમેદવારો નિમણુંકને પાત્ર બનશે નહીં.
(3) ઉમેદવાર ગુજરાતી અને / અથવા હિન્દીનું પર્યાપ્ત જ્ઞાન ધરવતા હોવું જોઈએ.
Know before you start
Key Features
-
- Videos (Expert View)
- Reading (Interactive Reading)
- Wizard Learning (Learn day by day)
Facilities
How to fill up the form
180181182220183184185221
|
10 years ago
10 years ago